પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૨

પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૨

શિક્ષણ અને મજુર વિભાગ, ગાંધીનગરના તા.૦૯/૧૧/૧૯૮૪ના ઠારાવ ક્રમાંક : એસ.સી.એચ. ૧૦૮૯/ ૪૦૪૯ અન્વયે તા:૧૬/૦૭/૨૦૨૨ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ,ગાંધીનગર ખાતે મળેલ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા સમિતિની બેઠકમાં નક્કી થયા મુજબ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૨ (શહેરી/ગ્રામ્ય/ટ્રાયબલ)વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે. આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તા:૨૨/૦૮/૨૦૨૨ થી તા.૦૬/૦૯/૨૦૨૨ દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે.

>> જાહેરનામું બહાર પાડ્યાની તારીખ
૧૭/૦૮/૨૦૨૨
>> પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઇન ભરવાનો સમયગાળો
૨૨/૦૮/૨૦૨૨ થી ૦૬/૦૯/૨૦૨૨
>> પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો
૨૨/૦૮/૨૦૨૨ થી ૦૭/૦૯/૨૦૨૨
>> પરીક્ષા તારીખ
● સંભવિત ઓકટોબર માસ


ઓનલાઇન અરજી કરવાની રીત

આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન જ અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવાર તા.૨૨/૦૮/૨૦૨૨(બપોરના ૧૫.૦૦) થી તા.૦૬/૦૯/૨૦૨૨ (રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન www.sebexam.orgપર અરજીપત્રક ભરી શકાશે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે. અરજીપત્રક Confirm કર્યા બાદ ફી ભર્યા પછી જ અરજી માન્ય ગણાશે.

સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે

>> સૌ પ્રથમ www.sebexam.org પર જવું.

>> ‘App|y online' ઉપર ક્લિક કરવું.

>> “પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૬) અથવા “માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯) સામે Apply Now પર Click કરવું

>> Apply Now પર click કરવાથી Application Format દેખાશે.

>> Application Format માં સૌ પ્રથમ માગવામાં આવેલ તમામ માહિતી ભરવાની રહેશે.

>> વિદ્યાર્થીની વિગતો U-DISE Number ના આધારે ભરવાની રહેશે.

>> શાળાની વિગતો માટે શાળાના DISE Number ના આધારે ભરવાની રહેશે.

>> પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૬)માટે ધોરણ-૫નું પરિણામ અને “માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯)"માટે ધોરણ-૮ના પરિણામના આધારે પરિણામની વિગતો ભરવાની રહેશે.

>> અહી બાંહેધરી પત્રક વાંચી ટીક કરવાનું રહેશે.

>> હવે Save પર Click કરવાથી તમારો Data Save થશે. અહીં ઉમેદવારનો Application Number Generate થશે, જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.

>> હવે પેજના ઉપરના ભાગમાં Upload photo-Signature પર click કરો.અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો.ત્યારબાદ Submit પર Click કરો. અહીં Photo -Signature અને માર્કશીટ (પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૬)માટે ધોરણ-પની માર્કશીટ અને “માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯)" માટે ધોરણ-૮ની માર્કશીટ) upload કરવાની છે.

>> Photo, Signature અને માર્કશીટ upload
○ સૌપ્રથમ તમારો Photo અને Signature jpg format માં 15 KB
○ Marksheet jpg/pdf format માં  50 KB

ઉપર આપેલી સાઇઝથી વધારે નહીં તે રીતે Computer માં હોવા જોઇએ. Browse Button પર Click કરો. હવે choose File ના સ્ક્રીનમાંથી જે ફાઇલમાં JPG format માં તમારો Photo, Signature અને Marksheet store થયેલ છે. તે ફાઇલને Select કરો અને Open Button ને click કરો, હવે Browse Button ની બાજુમાં upload Button પર Click કરો. Photo, Signature અને Marksheet ત્રણેય સાથે upload કરવાના રહેશે .હવે બાજુમાં તમારો Photo,Signature અને Marksheet દેખાશે.

>> Confirm Application પર Click કરો.અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો ત્યારબાદ Submit પર ક્લિક કરો.

>> જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ Confirm પર Click કરવું. Confirm પર Click કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં Online સ્વીકાર થશે તથા તે બાદ જ માન્ય ગણાશે.

>> હવે Print Application /Fee Challan પર Click કરવું, અહીં તમારો Confirmation Number Type કરો અને તમારી Birth Date Type કરો ત્યારબાદ Submit પર Click કરો

> અરજી પત્રકની પ્રિન્ટ કાઢી લેવી, (પ્રિન્ટની જરૂરિયાત હોય અને વ્યવસ્થા હોય તો પ્રિન્ટ કાઢવી અન્યથા સ્ક્રીનનો ફોટો લઈ લેવો.)


ઓફિશિયલ નોટિફિકેશન

ઓફિશિયલ વેબસાઈટ


માર્ગદર્શક સૂચનાઓ

>> જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓએ/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓએ/શાસનાધિકારીશ્રીઓએ પોતાના તાબા હેઠળની તમામ શાળાઓમાં આ જાહેરનામાંની નકલ ૨૨/૦૮/૨૦૨૨ સુધીમાં ફરજીયાતપણે પોંહચાડવાની રહેશે.

>> કોઇપણ શાળામાંથી જાહેરનામું ન મળ્યાની કે વિલંબથી મળ્યાની ફરીયાદ આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીની કચેરીની રહેશે.

>> વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઇન ભરી આપવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે.

>> પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા જિલ્લાના દરેક તાલુકા મથકે યોજાતી હોઈ વિદ્યાર્થીની સંખ્યા ધ્યાને રાખી પરીક્ષા કેન્દ્ર ફાળવવાના રહેશે.

>> હવેથી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના આવેદનપત્રોની હાર્ડકોપી જમા કરાવવાની પધ્ધતિ બંધ કરેલ છે. ફકત જે ઉમેદવાર મેરીટમાં આવે તેના આવેદનપત્રોની ચકાસણી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીની કચેરી દ્વારા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી કક્ષાએથી કરવાની રહેશે. 

Post a Comment

1 Comments